Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 108

સત્પુરૂષનો યોગ તેમજ લાંબાસમયથી સત્સંગ પ્રાપ્ત હોવા છતાં જીવની મૂંઝવણ, ભવભ્રમણનો ડર, ચિંતા જાય નહિ ત્યારે જીવે ગંભીર અંતર અવલોકન કરી પોતાનાં પરિણામને તપાસવાં જોઈએ. સત્પુરૂષની સેવા - ભક્તિ - ઉપાસના (?) કરી સત્સંગને આરાધ્યો (?) પણ જ્ઞાનની આરાધના કરી કે નહિ? તે પોતાનાં આત્માને પુછવું. જ્ઞાનની આરાધના અર્થાત્ અવલોકન (જાગ્રતિ) વિના માત્ર સત્સંગની - સત્પુરૂષની આરાધના થાય ત્યાં નિમિત્ત મુખ્ય અને ઉપાદાન ગૌણ થઇ દર્શનમોહ વધવાનાં પરિણામો વર્તે છે. જ્યારે આવી ગંભીર ભૂલ વર્તે છે ત્યારે સત્સંગ કેમ સફળ થાય? સત્પુરૂષનો યોગ પણ કેમ નિષ્ફળ ન જાય?

No English rendering yet.