જેમ કાચબો ભયની લાગણી ધરાવે ત્યારે પોતાનાં અંગોને ઢાલની અંદર લઇ સ્થિર થઇ જાય છે તેમ સાધકજીવે પણ જ્યારે પૂર્વકૃત કર્મનો આકરો ઉદય આવે ત્યારે તર બહારથી તમામ ઉપયોગ સમેટી પોતાના જ્ઞાનક્ષેત્રમાં રહી ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ - એવા ભાવમાં સ્થિર રહેવું.
આમ કરવાથી તીવ્ર કશાયનો ઉદય નહીં થાય અને ઘણા કર્મોની નિર્જરા થઇ જાશે તેમજ ઉપયોગ શુધ્ધાત્મામાં જામવાથી અતિન્દ્રિય આનંદનાં ફુવારા ફૂટશે.
No English rendering yet.