Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 96

શુદ્ધ અંતઃકરણથી સંપૂર્ણ આત્મશાંતિનો ચાહક મુમુક્ષુ જીવ પોતાની વર્તમાન દશામાં
વર્તતા દોષોનું અવલોકન કરે છે ત્યારે તેને પોતાનાં અનુભવથી સમજાય છે કે

૧) પરિણામમાં જે દોષો ઉત્પન્ન થઇ રહ્યાં વહે તેમાં પરપદાર્થ, અન્યજીવ કે કર્મજનિત સંયોગો જવાબદાર નથી પરંતુ પોતે જ સામે ચાલીને મોહવશ કાષાયનાં વેગમાં તણાઈને શુભ કે અશુભ ભાવનાં પરિણામો કરે છે.

૨) પરિણામમાં વિદ્યમાન શુભભાવો કે અશુભભાવોમાં આકૂળતા - અશાંતિનો અનુભવ થાય છે.

૩) જ્યાં સુધી અવલોકન બરાબર ચાલે ત્યાં સુધી સ્થુળ ઉદયભાવે તો સંતાઈ જાય છે તેથી કષાય મંદ થઇ આકુળતા ઘટી જતાં (ઓછી અશાંતિ) શાંતિ અનુભવાય છે.

૪) અવલોકન અટકીને વિચારે ચડતાં બોજો, અશાંતિ, આકુળતા વધે છે. શુભાશુભ ભાવોમાં વધારો ઉપજે છે.

૫) શુભાશુભ ભાવોને રોકી શકતાં નથી આશ્ચાતાપથી આકૂળતા વધે છે.
૫) ૬)
૬) ભવિષ્યમાં શુભાશુભ ભાવો નહીં કરવાનો નિર્ણય (સંકલ્પ) સફળ થતો નથી. નિર્ણયથી અશાંતિ વધે છે.

૭) માત્ર અવલોકન સિવાય આકૂળતા - અશાંતિને રોકી શકતી નથી.

૮) જેમ જેમ અવલોકન વધે તેમ તેમ સહેજે પરદ્રવ્યો - સંયોગો - અન્યજીવો પ્રત્યે મમત્વભાવ છૂટે છે અંદરથી જ વિવેક જાગે છે સૂઝ આવે છે. ઉદાસીનતા વધે છે.

૯) અવલોકનથી શ્રીગુરૂનાં વચનનો આશય સમજાય છે તેથી શ્રીગુરૂ પ્રત્યે અનન્ય ભક્તિભાવ સહેજે જાગે છે.

૧૦) અવલોકન ધારાવાહી ચાલતાં જીવમાં શ્રીગુરૂએ દર્શાવેલ ભેદજ્ઞાનની કળા હસ્તગત કરવાની ક્ષમતા આવે છે.

૧૧) પ્રતિકૂળતા (સંયોગોની) પ્રતિકૂળતા પણે ભાસતી નથી. અનુકુળતામાં હર્ષ થતો નથી. શુભાશુભ ભાવ વધે ત્યારે આકુળતા/દુઃખ વધે છે. અવલોકન થતાં આકૂળતા ઘટે છે.

૧૨) ‘મને સુખી થતાં કોઈ રોકી શકે તેમ નથી’ એવો રસ અવલોકનથી જ્ઞાનરસ ઉપજતાં વધે છે.

૧૩) શ્રીગુરૂ અને સત્સંગ પ્રત્યે પ્રેમ/ભક્તિ અંતરથી આવે છે અને છતાં કાર્ય પોતાથી થવાનું છે આવી શ્રધ્ધા જાગે છે તેથી શુભભાવનો રસ ચડતો નથી.

૧૪) અવલોકન કરવાથી બાહ્ય કાર્યો બરાબર નહીં થાય એવી ભ્રાંતિ છૂટતી જાય છે. બાહ્યનાં કાર્યોનાં લાભ - નુકશાન સાથે અવલોકનને કાંઈ જ લાગતું - વળગતું નથી એવું સ્પષ્ટ ભાસે છે.

૧૫) અવલોકનથી નિરાંત અનુભવાય છે અને કરું, કરું નો બોજો ઘટતો જાય છે.

૧૬) ઘણી વાર વસ્તુ પ્રત્યક્ષ ન હોવા છતાં એ નિમિત્તે શુભાશુભ ભાવ થાય છે. તેથી ભાવ થવામાં વસ્તુ કારણભૂત નથી એમ અવલોકનથી સમજાય છે.

૧૭) અવલોકનથી પ્રયોજનની પકડ વધે છે.

૧૮) એકાંતની રૂચિ વધે છે.

૧૯) મોટાભાગમાં અસમાધાન - સમાધાનમાં ફેરવાઈ જાય છે.

૨૦) અવલોકન તૂટવાથી ભય - ચિંતા - દુઃખ થઇ આવે છે. પોતાના પુરૂષાર્થની ખામી ઉપર જીવને ધિક્કાર આવે છે પોતાની પામરતાનો અહસાસ થઇ સ્વચ્છંદ મટે છે અને શ્રીગુરૂની આજ્ઞામાં જ રહેવાનો દૃઢ નિશ્ચય થાય છે.

No English rendering yet.