ભાવભાસન (સ્વરૂપ નિશ્ચય) પછી મૂંઝવણ શા માટે રહે છે?
ઉત્તર: હજી દર્શનમોહ સંપૂર્ણપણે છૂટ્યો નથી. સ્વરૂપદર્શન જલ્દી કરૂં એવી ભાવનામાં સૂક્ષ્મપણે સ્વભાવ કરતાં સમ્યગ્દર્શનને વધુ મહત્વ અપાઈ જાય છે તે સૂક્ષ્મ દર્શનમોહનાં પરિણામ છે.
અતિન્દ્રિય શાંતિની ચાહના એ પણ સૂક્ષ્મ દર્શનમોહનાં પરિણામો છે. પર્યાય ઉપરથી દ્રવ્યમાં બેઠક બદલે તો સ્વાનુભવ થાય અને મૂંઝવણ ટળે.
No English rendering yet.