જીવ મોહથી અંધ થઇ સંયોગોમાં મમત્વ/એકત્વ અને સુખબુધ્ધિપૂર્વક પ્રવર્તે છે અને જરાપણ નિજઆત્માની સંભાળ રાખતો નથી. નિરંતર રાગદ્વેષ/શુભ અશુભ ભાવ કરી નવા કર્મ બાંધતો જાય છે. હવે અવલોકન પ્રક્રિયાથી નિજ આત્માની સંભાળ લે અને જાગૃતિપૂર્વક પરિણમે તો જ દિશા બદલાય. અવલોકન (જાગૃતિ) એક માત્ર બચવાનો ઉપાય છે.
No English rendering yet.