શિષ્યને એમ લાગે કે મે ગુરૂને સર્વસ્વ સમર્પણ કરે છે તેથી ગુરૂએ મારા દોષો મને બતાવવા જ જોઈએ. મને માર્ગદર્શન આપવાની બધી જ જવાબદારી ગુરૂની જ છે. સાચો ભક્ત હોવાથી મને ગુરૂ પાસેથી આવું કાર્ય કરાવવાનો હક/અધિકાર છે. ગુરૂ જો આમાં કચાશ રાખે તો મને ગુરૂ ઉપર રોષ આવે છે તે યથાર્થ છે. મુમુક્ષુની આવી માન્યતા યથાર્થ નથી કારણ કે
(૧) ગુરૂની વીતરાગતાને તે સમજી શક્યો નથી.
(૨) શિષ્યે સર્વસમર્પણ કરેલ છે તે પોતાનાં લાભ માટે કરેલ છે. આમાં એણે ગુરૂ ઉપર ઉપકાર કરેલ
નથી.
(૩) વળી ગુરૂ પર અધિકાર જમાવવામાં નિષ્કામતા રહેલી નથી. ભક્તિમાં દોષ આવે છે.
(૪) વળી શિષ્યે ભલે ભક્તિ કરી છે પરંતુ શ્રીગુરૂ વીતરાગ હોવાથી ગુરૂએ ક્યાં ભક્તિ સ્વીકારી છે?
ગુરૂ તો તદ્દન નીસ્પૃહ છે, એને તો પોતાનો શુધ્ધાત્મા જ વહાલો છે. એને શિષ્યની ભક્તિ પણ
જોઈતી નથી.
(૫) વળી ગુરૂએ જે માર્ગ બતાવ્યો છે તેની કિંમત શિષ્ય શું ચૂકવી શકે? તો પછી હકનો પશ્ન જ ક્યાં
રહ્યો?
(૬) વળી શું નીસ્પૃહી ગુરૂને ભક્તિની લાંચ આપી ખરીદી શકાય?
(૭) આ માર્ગમાં સોદાબાજી ચાલે?
(૮) પોતાના બંધનની જવાબદારી ગુરૂ ઉપર નખાય?
શ્રીગુરૂ તો નીસ્પૃહ કરૂણાસાગર છે. મુમુક્ષુએ તો નિષ્કામપણે એમનાં ચારણાવિંદમાં દાસત્વભાવે રહેવા યોગ્ય છે. એમાં જ જીવનું પરમ કલ્યાણ છે.
No English rendering yet.