Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 133

બે તબક્કાથી ભાવભાસન સુધી પહોંચાય છે:

૧) પરમાં એકત્વબુધ્ધિ - કાર્તત્વબુધ્ધિ મમત્વ ચોદાવવા અવલોકન (ચાલતાં પરિણામ) માં રાગાદિભાવોને માત્ર જોવા અને પરને જોવાનું બંધ કરવું.

૨) રાગાદિભાવોને માત્ર જોતાં જોતા સહજ ગભરાટ દુઃખ, ભય, વેદના, ચિંતા, બેચેની ઉત્પન્ન થાય અને અસહય પરિસ્થિતિ ઉભી થાય ત્યારે નિરંતર વહી રહેલી જાણનપર્યાય - જ્ઞાતધારાને જોવી અને રાગદીભાવોને જોવાનું બંધ કરવું. પોતે રાગદીભાવો કરતો નથી પોતે માત્ર જાણનારો જ છે.

મનથી કરેલો નિર્ણય યથાર્થ નથી. તેથી જ્ઞાનીની આજ્ઞામાં રહી નિર્ણય કરવો જોઈએ.

શાસ્ત્રવાંચનથી કરેલો નિર્ણય મનનો નિર્ણય છે. ઉપદેશ શ્રવણથી કરેલો નિર્ણય મનનો નિર્ણય છે. જ્ઞાની કહે છે તે સાચું છે તેમ માની (પ્રયોગ વિના) કરેલો નિર્ણય મનનો નિર્ણય છે.

જ્ઞાની કહે છે તેમ પ્રયોગે ચડીને આજ્ઞા ઉઠાવીને જે કોઈ આત્મલાભનો પોતાને અનુભવ થાય તે યથાર્થ નિર્ણય છે.

વાસ્તવમાં જ્ઞાની કહે છે તેમ સીધેસીધું માનવાનું નથી પરંતુ પ્રયોગે ચડીને જે અનુભવ પોતાને થાય તે અનુભવ સાથે જ્ઞાનીનાં વચનો મેળ ખાય છે કે નહિ? તેમ મેળવણી કરીને થયેલો નિર્ણય તે યથાર્થ નિર્ણય છે.
પોતાના મનથી નિર્ણય કરવાં કરતા જ્ઞાનીને પૂછીને નિર્ણય કરવો એટલે સ્વચ્છંદે ચાલવું છોડીને, જ્ઞાનીની આજ્ઞા રહીને, પ્રયોગે ચડીને અનુભવથી યથાર્થ નિર્ણય કરવો કારણ કે અનાદિનો અજાણ્યો છે તેથી ક્યાંય ભૂલ ન રહે તે માટે જ્ઞાનીનાં શરણમાં રહેવું.

પોતે મનથી કરેલ નિર્ણય અને જ્ઞાનીનાં વચનો મેળ ખાતાં હોય છતાં તે નિર્ણય યથાર્થ નથી. કારણ કે માત્ર ધારણામાં છે. તેથી કાંઈ પોતાને આત્મલાભ થતો નથી. નિર્ણય યથાર્થ હોય તો આત્મલાભ થાય જ અને એવો આત્મલાભ માત્ર સાંભળવાથી - વાચંવાથી, તત્વને બુદ્ધિમાં બેસાડવાથી થતો નથી પરંતુ જ્ઞાનીની આજ્ઞાનુસાર પ્રયોગ-અવલોકન પૂર્વક ભેદજ્ઞાન કરવાથી થાય છે.

No English rendering yet.