દોષને જોતાં શુદ્ધ ભાવનાવંત જીવને સહજ દુઃખ લાગે છતાં દોષનો નાશ કરવો નથી પરંતુ જાણવા-દેખવાના પ્રયાસમાં જ લાગ્યા રહેવું.
કષાય ન થાય માટે દ્રવ્યલિંગી ઘણો પુરૂષાર્થ કરે છે છતાં વીધિની ભૂલને લીધે અવળો પુરુષાર્થ હોવાથી તેને વીતરાગ દશા ઉત્પન્ન થાતી નથી અને પરિભ્રમણ ચાલુ જ રહે છે.
કષાય ન થાય તે માટેનો પુરૂષાર્થ શુભભાવની રુચિવાળો પુરુષાર્થ છે જ્યારે જ્ઞાયક સ્વભાવનાં આધારે કાષાયનાં સહજ જ્ઞાતા બની રહેતાં વીતરાગતાની રૂચિવાળો પુરૂષાર્થ થાય છે જે મુક્તિનું કારણ છે.
કષાય ટાળવાનાં લક્ષે થતો પ્રયાસ કૃત્રિમ છે; તેમાં કર્તૃત્વભાવ છે. તેથી કષાય મંદ થવા છતાં તેનો અભાવ થાતો જ નથી. કષાય ટાળવાનો પ્રયાસ એ જાતે જ મંદકશાય છે. તેથી મનના આધારે તે માર્ગે પુરૂષાર્થ કરતાં મુક્તિ મળતી નથી. જ્ઞાયકનાં આધારે સહજ જ્ઞાતા રહેવાથી મુક્તિ મળે છે.
No English rendering yet.