જીવ ગમે તેટલો સત્સંગ ઉપાસે અને ગમે તેટલી દેવગુરૂ શાસ્ત્રની માહિમમાં વર્તે છતાંય જો જીવ પોતાનાં પરિણામોનું ઉદયકાળે માત્ર અવલોકન ન કરી શકે અથવા અવલોકન ન થવાથી ખેદ ન ઉપજે તો એની તમામ ધાર્મિકક્રિયા ઢોંગ જ છે. એનું અંતઃકરણ શુધ્ધ નથી. તે જીવ સદ્દગુરૂ સમક્ષ પોતાનાં ભાવો ખોલી શકતો નથી. માર્ગદર્શન લેવા જેટલી જિજ્ઞાસામાં પણ વર્તાતો નથી અને સ્વચ્છદંતાથી મતિકલ્પનાથી વર્તી વંચનાબુધ્ધિ જેવો મહાદોષ કરે છે. વંચનાબુધ્ધિ રાખે અને આત્મલાભને પણ ઈચ્છે તો એમ કોઈ કાળે પણ સંભવિત નથી.
No English rendering yet.