વર્તમાન પરિણામોનાં અવલોકનનો મહાપુરૂષાર્થ અભ્યાસતાં અભ્યાસતાં જ્યારે (૧) વિકલ્પમાત્રનું સહજ તીવ્ર દુઃખ અનુભવાય (૨) આ દુઃખ નહિ ટળે તો જીવન જીવવું નકામું લાગે - આપઘાતનાં ભાવો પણ આવી જાય (૩) ઉદયગત કાર્યો અત્યંત બોજારૂપ લાગે (૪) ઉદયમાં જોડાઈ જવાથી અને જાગૃતિ છૂટી જવાથી ગભરાટ થઇ આવે (૫) દુઃખથી બચાવનાર સદગુરૂની સહજ અંતરશોધ વર્તે અથવા (૬) સદગુરૂની ઓળખાણ થઇ અપૂર્વ ભક્તિ ઉછળી આવે અને સર્વસમર્પણભાવમાં વર્તવાનાં ભાવ થાય (૭) સત્પુરૂષ અને સત્સગં સિવાય કોઈ શરણ નથી તેવું ભાસે ત્યારે જીવે ગુલાંટ ખાવાની છે અને પરિણામોનું અવલોકન છોડી જ્ઞાનસ્વભાવનું સતત અવલોકન કરવાનું છે કે જેથી ભાવભાસન ઉદભવે. જ્ઞાનસ્વભાવી આત્માનાં ભાવભાસન વિના વિકલ્પોનું દુઃખ ટળી શકે એમ નથી. જેને ભાવભાસન થાય તેને આવી યોગ્યતા પ્રગટ્યા વિના અને પ્રત્યક્ષ સદગુરૂ પ્રત્યે પરમવિનય/પરમેશ્વરબુદ્ધિપૂર્વક સર્વસમર્પણ ભાવ આવ્યા વિના રહે જ નહિ.
‘બુજી ચહત જો પ્યાસકો હૈ બુઝનકી રીત
પાવે નહિ ગુરૂગમ બિના યહી અનાદિ સ્થિત’
No English rendering yet.