જેમ જેમ જીવ અવલોકનનાં પુરૂષાર્થથી પોતાનાં વર્તમાન ક્ષણે થતાં દોષો જોતો જાય છે તેમ તેમ એને સમજાતું જાય છે કે સ્વચ્છંદતાથી પોતાની બુધ્ધિ અનુસાર વર્તન કરતાં દોષો વધતાં જાય છે અને તેથી આકૂળતામાં વધારો થાય છે જ્યારે ગુરૂ આજ્ઞાથી વર્તતા ગુણવૃધ્ધિ થઇને નિરાકુળતા તરફ ગતિ વધીને શાંતિ અનુભવાય છે તેથી પોતાની શાંતિ વધારવા તેમ જ આકુળતાથી બચવા જીવ રાજીખુશીથી સદગુરૂની આજ્ઞામાં રહેવા ઈચ્છે છે. આજ્ઞામાં રહેવામાં તે પરાધીનતા અનુભવતો નથી પરંતુ પોતાને બોજો રહિત અનુભવે છે. પરમકૃપાળુદેવ યથાર્થ ફરમાવે છે કે ‘સત્પુરૂષની આજ્ઞાનું આરાધન એ સિધ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે’ પૂ. ભગવતી માતાએ પણ ફરમાવેલ છે કે ‘ગુરૂ આજ્ઞાએ રહેવું એમાં તો પરમસુખ છે’.
No English rendering yet.