Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 61

અવલોકન જીવનો સ્વભાવ હોવાથી સહજપણે સુગમતાથી સર્વત્ર થઇ શકે છે. દ્રવ્ય -ક્ષેત્ર-કાળ-ભાવનું પ્રતિબંધન એને નથી. વ્રત નિયમોનું બંધન એને નથી. સાંસારિક સંયોગોની અનુકૂળતાની (ઈજ્જત, આબરૂ ધન, નિવૃત્તિ આદિની) એને અપેક્ષા નથી. ગમે તેવી પ્રતિકૂળતામાં પણ થઇ શકે છે. ભયંકર રોગ, જંજાળ, ઉપાધિમાં પણ થઇ શકે. ક્ષેત્રાંતરની જરૂર નથી. જાપ-તપ-ત્યાગ-વૈરાગ્ય, ભક્તિ-પૂજા આદિ શુભભાવોથી પણ અવલોકન નિરપેક્ષ છે. અન્ય દ્રવ્યોની રંચમાત્ર પરભિનાતા વિના સંપૂર્ણ સ્વાધીનતાથી શુદ્ધ અંતઃકરણવાળો જીવ અવલોકન સફળપણે કરી શકે છે.

No English rendering yet.