વર્તમાન ચાલતાં પરિણામોનાં (દોષોનાં) નિષ્પક્ષપાતપણે અવલોકન થયા વિના દર્શનમોહ યથાર્થપ્રકારે મંદ થાય નહિ અને નિજપરમાત્મદ્રવ્યની દૃષ્ટિ વિના દર્શનમોહનો અભાવ થાય નહીં. ટૂંકમાં બોધબીજ યોગ્ય ભૂમિકાની પ્રાપ્તિ અર્થે દોષો (પરિણામ)નું અવલોકન - સતત અવલોકન ખચિત જરૂરી છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે તમામ પરોણમોને ગૌણ કરી ભેદજ્ઞાન વડે માત્ર દ્રવ્ય નિજપરમાત્મામાં ઉપયોગની સ્થિરતા જરૂરી છે, ત્યારે પરિણામને જોવા જ નથી.
એકાંતે પરિણામનાં અવલોકનનો નિષેધ કરવા યોગ્ય નથી તેમ જ યોગ્યતા ઉત્પન્ન થયા વિના એકાંતે દ્રવ્યદૃષ્ટિનો આગ્રહ પણ સેવવા યોગ્ય નથી.
No English rendering yet.