Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 154

વર્તમાન ચાલતાં પરિણામોનાં (દોષોનાં) નિષ્પક્ષપાતપણે અવલોકન થયા વિના દર્શનમોહ યથાર્થપ્રકારે મંદ થાય નહિ અને નિજપરમાત્મદ્રવ્યની દૃષ્ટિ વિના દર્શનમોહનો અભાવ થાય નહીં. ટૂંકમાં બોધબીજ યોગ્ય ભૂમિકાની પ્રાપ્તિ અર્થે દોષો (પરિણામ)નું અવલોકન - સતત અવલોકન ખચિત જરૂરી છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે તમામ પરોણમોને ગૌણ કરી ભેદજ્ઞાન વડે માત્ર દ્રવ્ય નિજપરમાત્મામાં ઉપયોગની સ્થિરતા જરૂરી છે, ત્યારે પરિણામને જોવા જ નથી.
એકાંતે પરિણામનાં અવલોકનનો નિષેધ કરવા યોગ્ય નથી તેમ જ યોગ્યતા ઉત્પન્ન થયા વિના એકાંતે દ્રવ્યદૃષ્ટિનો આગ્રહ પણ સેવવા યોગ્ય નથી.

No English rendering yet.