મનમાં જે રાગદ્વેષ પુણ્ય-પાપનાં વિકલ્પો ઉઠે છે તેને વર્તમાન ક્ષણે સતત અવલોકન કરનાર જીવને સંસારનાં સુખો અનુભવપૂર્વક કલ્પિત ભાસે છે. સંસારનાં કર્યો ઝંઝાળ, બોજા રૂપ ભાસે છે. તેથી અનુકૂળતાવાળા સંયોગોની ચાહના છૂટતી જાય છે. છતાં હાજી એને આત્મિક સુખ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ નથી મૂંઝાયેલો છે.
આવા જીવને મોક્ષનાં દ્વાર ખૂલ્યાં નથી ને સંસારની અનુકૂળતામાં ફસાવું નથી છતાં સંસારનાં કાર્યો કરવા પડે છે. પરંતુ ભવભ્રમણનાં કરણનાં નિમિત્તરૂપ સંસારનાં કાર્યો કરવાનો અભિપ્રાય નથી. તેથી આવા જીવને હવે સંસારની તમામ પ્રવૃત્તિમાં આત્મકલ્યાણની ઝંખના-ભાવના સતત હોવાથી તેને પાપબંધ ઉપજાવે તેવી પ્રવૃત્તિમાં પણ પુણ્યબંધ થાય છે કારણકે કોઈપણ પ્રવૃત્તિ તેને દુઃખ રૂપ ભાસે છે અને પરાણે કરવી પડે છે.
રાજીખૂશીથી અભિપ્રાયપૂર્વક કરાતી પાપ પ્રવત્તિમાં પાપનો બંધ થાય છે પરંતુ આવા જીવને તો દુઃખ ભાસે છે તેથી તે જ પ્રવૃત્તિ પુણ્યબંધનું કારણ બને છે. પૂર્વકર્મવશ અશાતા કે પ્રતિકૂળતાનો ઉદય મટતાં જ આવા જીવને આત્મઆરાધના ને અનુકૂળ એવા સત્સંગ, સદગુરૂ કે સત્શાસ્ત્રનો સંપર્ક ઉપરોક્ત બંધાયેલ પુણ્યનાં ઉદય થવાથી જરૂર થશે.
જહાં ચાહ હે વહાં રાહ હૈ એ ઉક્તિ આ પ્રમાણે ચરિતાર્થ છે. પૂ. બેનશ્રી પણ ફરમાવે છે કે ચૈતન્યની ભાવના કદિ નિષ્ફળ જાતિ નથી કારણ કે ભાવના સાથે કુદરત બંધાયેલી છે.
No English rendering yet.