અવલોકનનાં અભયાસમાં જ્ઞાનનું જ્ઞેય વર્તમાનકાળનાં આસ્ત્રવભાવો - શુભ કે અશુભ ભાવો છે. જયારે ભેદજ્ઞાનનાં અભ્યાસમાં જ્ઞેય સ્વયં જ્ઞાયક છે.
મુમુક્ષુને સ્થુળ વીકારીભાવોનું વેદન થયા વિના સૂક્ષ્મ નિજ જ્ઞાયક પરમાત્માનું વેદન-અતીન્દ્રિય આનંદ-પ્રગટ થાતું નથી. કારણકે જેને સ્થુળ વીકારીભાવો ન જણાય તેને જ્ઞાનની તથાપ્રકારે સુયોગ્ય નિર્મળતા ન હોવાથી અર્થાત મોહનું આવરણ હોવાથી સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાયક સ્વભાવ જણાતો નથી. (જુઓ બેનશ્રીનાં વચનામૃત નંબર ૫૯)
આત્મદર્શન માટે પ્રથમ વીકારીભાવોનું તટસ્થ દર્શન/જાણપણું થવું તે જ્ઞાનનો અભ્યાસ છે. જે જ્ઞાનમાં ક્રોઘાદિ વિકાર જણાય છે તે જ્ઞાન અતિન્દ્રિય છે. કારણકે ઇન્દ્રિયજ્ઞાન તો રૂપી પદાર્થોને જ વિષય બનાવે છે. જયારે ક્રોધાદિ વિકારો તો સ્પર્શ-રસ-ગંધ-વર્ણાદિ રહિત અરૂપી છે. તેથી જે ક્ષણે ક્રોધ જણાય તે ક્ષણે જીવ અતિન્દ્રિય જ્ઞાનનાં ઉપયોગથી સાક્ષાત વિકારી ભાવોને જાણે છે.
No English rendering yet.