Avlokan Discourses of Shri Devchand bhai Shah The book Search Photographs About
Aphorism 255

જીવ પોતાનાં વર્તમાન પરિણામોને ન અવલોકે તો પ્રમાદ તેમજ સ્વચ્છંદ અથવા નિશ્ચયાભાસી થવાનો દોષ ઉત્પન્ન કરશે અને પરિણામોને જોતાં હું ક્રોધી, હું માની, હું દ્વેષી, અથવા ‘આવો ભાવ મને કેમ આવ્યો? ’ ‘ આ ભાવ ફરીને હું નહીં કરું’ ઈત્યાદિ પ્રકારે પરિણામમાં એકત્વ કરશે તો પોતાના પરમાત્મતત્વનું અવમૂલ્યન થવાથી શુધ્ધોપયોગ નહીં થાય આથી તટસ્થભાવે સતત જાગૃતિમાં અવલોકન થવું ઘટે.

No English rendering yet.