અવલોકન સફળ ન થવામાં જીવનાં ચાર મોટા પ્રતિબંધો છે:
૧) સમાજ પ્રતિબંધ ૨) કુટુંબ પ્રતિબંધ ૩) શરીર પ્રતિબંધ ૪) સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. જ્યાં સુધી આ પ્રતિબંધો અત્યંત મંદપણાને ન પામે ત્યાં સુધી જીવ છૂટવા ધારે તો પણ છૂટી શકતો નથી કારણ કે જીવ મોહની પટ્ટીવશ જ્ઞાનની નિર્મળતા ખોઈ બેઠો છે. તેથી જ અવલોકન શરૂ થાતું નથી. મોહથી જ્ઞાનની શક્તિ પણ હણાયેલી (અવરોધિત) છે. આવા જીવે સર્વાર્પણ બુધ્ધિથી સત્સંગની ઉપાસના કર્યા વિના બીજો કોઈ છૂટકો નથી.
No English rendering yet.